સ્વાતિ માલીવાલ મામલે આપનો આક્ષેપ: આતિશીએ કહ્યું- ભાજપના ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને મુખ્યમંત્રી આવાસ પર મોકલવામાં આવી હતી
- 17 May, 2024
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આ કેસને બીજેપીનું ષડયંત્ર હોવાની વાત કરી છે. આતિશીએ કહ્યું કે સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચેહરો હતી. સ્વાતિ માલિવાલ 13 મેના રોજ કોઈ પણ પ્રકારની એપોઈન્ટમેન્ટ લીધા વગર જ સીએમના આવાસ પર પહોંચી હતી. તેમનો ઈરાદો સીએમ કેજરીવાલને ફસાવવાનો હતો, જોકે તેઓ નહોતા એટલે તેઓ બચી ગયા. પછીથી સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર આરોપ લગાવ્યો. આજે બહાર આવેલો વીડિયો તેમની પોલ ખોલે છે.
આપ નેતા આતિશીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્વાતિ માલીવાલ સહિત બીજેપી પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે, ત્યારથી બીજેપી ગભરાઈ છે. તેના પગલે તેણે ષડયંત્ર રચ્યું છે. આ ષડયંત્ર અંતર્ગત સ્વાતિ માલીવાલને સીએમ આવાસ મોકલી દેવામાં આવી હતી. તેનો ઈરાદો સીએમ પર ખોટા આરોપો લગાવવાનો હતો. સ્વાતી આ ષડયંત્રનો ચેહરો હતી. સ્વાતિ માલિવાલ 13 મેના રોજ સીએમ આવાસ પર પહોંચી હતી, તેમનો ઈરાદો આરોપ લગાવવાનો હતો. તેમનો ઈરાદો સીએમ કેજરીવાલને ફસાવવાનો હતો, જોકે તેઓ નહોતા તેના કારણે તે બચી ગયા હતા. પછી સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર આરોપ લગાવ્યો. આતિશીએ મીડિયાને 13 મેનો સંપૂર્ણ ઘટનાક્રમ જણાવ્યો હતો અને કહ્યું કે સ્વાતિ માલીવાલે જે દિલ્હી પોલીસને ફરીયાદ કરી છે, તેમાં તેઓ કહી રહ્યાં છે કે તેમને ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ